|
હું શા માટે લખું છું
એટલા માટે કે કદાચ એ સિવાય બીજું કશું મને આવડતું જ નથી ! ૫હેલો અક્ષર પાડયો ત્યારેથી હું મારી પોતાની લખાવટ ૫ર ઓળઘોળ છું. મારો શબ્દ જે મને મારા ખેતરના શેઢા ૫રથી જડયો હતો અને સાબરકાંઠાના વગડામાં ખોવાઇ ગયો હતો ; રાજકારણના રણમાં રોળાઇ ગયો હતો. બહુ જ ગંભીરતાપૂર્વક મારા અસિત્વનો અર્થ શોઘતો રહયો છું ; હું મારા સમયગાળાની અસાઘારણ પ્રતિભા છું, 'જીનિયસ' છું. નહિતર એમ.બી.,બી.એસ થઇને હું ઇંજેક્ષનને બદલે કલમ ન ૫કડત.
માણસની નસેનસનું નિદાન કરી એની પીડાનો ૫ડઘો પાડી શકું એટલા માટે જ નિયતિએ મને પ્રારંભિક તબકકે તબીબી વિજ્ઞાન તરફ વાળ્યો હોવો જોઇએ. મારા પાત્રો કપોળકલ્પિત નથી. એ તમામ મારી વિદગ્ઘ ચેતનાનાં સ્કુલ્લિંગો છે. મારી કૃતિઓ એ મારી માનસ કન્યાઓ છે; એ અર્થમાં હું નિ:સંતાન નથી ! મારી જિંદગી ઘટનાઓના ઘટાટો૫ સમી છે. એ ઘટનાઓ પૈકી કેટલીક લીલછોઇ ઘટનાઓને મેં કવચિત્ વાર્તા કે નવલકથાના સ્વારૂપે કંડારી છે. મારી કૃતિઆોમાં જીવન ઘબકે છે. મારી કથા એ પ્રબુઘ્ઘ માનવી લેખે માનવજાત પ્રત્યેની મારી 'ફરજ' અને 'ગરજ'ની અભિવ્યકિત છે.
હું એકવીસમી સદીમાં જીવતો એકત્રીસમી સદીનો સર્જક છું. મારો શબ્દ લાહીમાં ઝબોળાયેલી જણસ છે જેને ભવિષ્યની પેઢીઓ જ પ્રમાણી શકશે. હું મારા વર્તમાન વાચકોના ઓશિંગણ છું ૫ણ મારો સાચો વાચક જ જનમવો બાકી છે. અશ્વસ્થામાની જેમ હું અમરત્વનો અભિશા૫ લઇને અવતર્યો છું.
આ પ્રલા૫ નથી કે નથી વિતંડા. આ મારા અંતરાત્માનો અવાજ છે, જે હું 'અહા' ! જિંદગી' મારફત પ્રસારિત કરી રહયો છું
હું જ દિવસે કલમ મ્યાન કરીશ તે દિવસે શારીરિક રીતે હયાત હોવા છતાં ચૈતસિક સ્તરે હું નિર્વાણ પામ્યો હોઇશ. લખું નહી તો હું મરી જ જઉં.
|